(આ વ્રત ઘણું કરીને કુમારિકાઓ કરે છે, કોઈ સ્થળે મોટી વયની સ્ત્રીઓ પણ કરે છે.)
શ્રાવણ માસની અજવાળી ત્રીજે વ્રત લેવાય.
વહેલા પરોઢીએ ઊઠીને નાહવું. આખો દિવસ નકરોડો ઉપવાસ કરવો.
જ્યારે પાણી પીવું હોય ત્યારે ફૂલ સૂંધીને જ પીવું. શંકર પારવતીની પૂજા કરવી. ગોરજટાણે આવતી ગાયોનું પૂજન કરીને જમનું.
આખી રાત જાગરણ કરવું.